આત્મીય બંધુ,
એવું વાંચવામાં આવ્યું છે કે એકવીસમી સદી એ જ્ઞાન ની સદી છે. વર્તમાન યુગ માં જેની પાસે સારા વિચારો હશે, સારું વાચન હશે તે જ સમૃદ્ધ કહેવાશે.
સમાજના બદલાતા વાતાવરણમાં આજે આવશ્યકતા ઉભી થઇ છે કે સારા વિચારો , સાચી વાતો સમાજના લોકો સમક્ષ મુકાય, તો જ સમાજ ની પ્રગતિ થઇ શકશે. તેના દ્વારા જ એક ક્રાંતિ સમાજમાં આવી શકશે.
'.વિચાર અભિયાન ' એ બ્લોગ દ્વારા મારા વિચારો આપ સૌની સમક્ષ મુકવાનો પ્રયાસ કરીશ. હું મોટો ચિંતક-વિચારક કે સાહિત્યકાર નથી, પરંતુ મારા મનમાં , મારા હૃદયમાં જે લાગણી છે તેને આપ સૌની વચ્ચે વહેચવાનો પ્રયાસ કરીશ..સમાજમાં બનતી અનેક ઘટનાઓ આપણને સૌને કૈક વિચારવા માટે પ્રેરે છે ત્યારે વૈચારિક ક્રાંતિ ના આ યુગ માં મારો આ પ્રયાસ સમાજને એક નવી દિશા- નવી ઉચાઇ પર લઇ જશે તેવો મને વિશ્વાસ છે. રામસેતુ નિર્માણ દરમિયાન ખિસકોલીની જે ભૂમિકા હતી તેવી ભૂમિકા મારી રહેશે...
આ અંગે આપ સૌ મિત્રોના સુચન અને અભિપ્રાય મને પ્રોત્સાહિત કરશે...
નિખિલ
૯૮૯૮૦૦૪૯૧૮
nbkhamar@gmail.com