Tuesday, 14 April 2015

વિચાર અભિયાન

આત્મીય બંધુ,
 એવું વાંચવામાં આવ્યું છે કે એકવીસમી સદી એ જ્ઞાન ની સદી છે. વર્તમાન યુગ માં જેની પાસે સારા વિચારો હશે, સારું વાચન હશે તે જ સમૃદ્ધ કહેવાશે.

સમાજના બદલાતા વાતાવરણમાં આજે આવશ્યકતા ઉભી થઇ છે કે સારા વિચારો , સાચી વાતો સમાજના લોકો સમક્ષ મુકાય, તો જ સમાજ ની પ્રગતિ થઇ શકશે. તેના દ્વારા જ એક ક્રાંતિ સમાજમાં આવી શકશે.

'.વિચાર અભિયાન ' એ બ્લોગ દ્વારા મારા વિચારો આપ સૌની સમક્ષ મુકવાનો  પ્રયાસ કરીશ. હું મોટો  ચિંતક-વિચારક કે સાહિત્યકાર નથી, પરંતુ મારા મનમાં , મારા હૃદયમાં જે લાગણી છે તેને આપ સૌની વચ્ચે વહેચવાનો પ્રયાસ કરીશ..સમાજમાં બનતી અનેક ઘટનાઓ  આપણને સૌને કૈક વિચારવા  માટે પ્રેરે છે ત્યારે વૈચારિક ક્રાંતિ ના આ યુગ માં મારો આ પ્રયાસ સમાજને એક નવી દિશા- નવી ઉચાઇ પર લઇ જશે તેવો મને વિશ્વાસ છે. રામસેતુ નિર્માણ દરમિયાન ખિસકોલીની જે ભૂમિકા હતી તેવી ભૂમિકા  મારી રહેશે...

આ અંગે આપ સૌ મિત્રોના સુચન અને અભિપ્રાય મને પ્રોત્સાહિત કરશે...

નિખિલ
૯૮૯૮૦૦૪૯૧૮
nbkhamar@gmail.com