
મોટા
ભાગે એવી માન્યતા છે કે દેશભક્તિ એ
સ્વાતંત્ર્ય સેનાનીઓ, દેશની સરહદ પર રહીને
દેશની રક્ષા કરતા સેનાનીઓ, પોલીસ, નેવીના જવાનો માટે જ છે. દેશભક્તિના આવા
સંકુચિત ખ્યાલમાંથી આપને સૌએ બહાર આવવું પડે. દેશભક્તિ એ પોતાની માતૃભૂમિ
પ્રત્યેની અપાર લાગણી, ઋણ અને કૃતજ્ઞતાનો ભાવ છે.એ ભાવ હૃદયની ઊર્મીઓમાથી પ્રગટે
છે. આવો પ્રેમ અને કૃતજ્ઞતાનો ભાવ જ્યારે
વ્યવહારમાં આવે છે ત્યારે એ રાષ્ટ્રભક્તિ કહેવાય છે.સાદી અને સરળ ભાષામાં માતૃભૂમિ
પ્રત્યેની અનહદ લાગણી, પ્રેમ અને સન્માનની ભાવના...પ્રત્યેક વ્યક્તિમાં
પ્રેમની લાગણી સહજ હોય છે.આ પ્રેમની લાગણી પોતાની માતૃભૂમિ પ્રત્યે જાગે ત્યારે એ
રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ બને છે. પોતાની માતૃભૂમિ ની આ ભક્તિ એ ગર્વ અને ગૌરવ ની
લાગણી જન્માવે છે. જેવી રીતે સૈનિકો ને
પોતાની માતૃભૂમિ પ્રત્યે પ્રેમ અને સમર્પણનો ભાવ હોય છે જેના કારણે તેઓ કઈ પણ
સમર્પિત થવા તૈયાર હોય છે એને આપણે દેશભક્તિ તરીકે જનસામાન્ય સમાજ ઓળખે છે.૧૮૫૭ થી
શરુ થયેલો સ્વાતંત્ર્ય સંગ્રામ ૧૯૪૭ સુધી ચાલ્યો,,એમાં અનેક લોકો એ પોતાના જાનનું બલિદાન આપ્યું અનેક સંઘર્ષો કર્યા... એ કોના
માટે? પોતાની માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ,
ત્યાગ અને સમર્પણ ની ભાવના ને
લીધે. એટલે આવા સ્વાતંત્ર્ય સેનાનીઓને
આપણે દેશભક્ત મહાપુરુષ તરીકે ઓળખીએ છીએ.
આ બંને દેશભક્તિના ઉત્તમ ઉદાહરણો
છે, પરંતુ પ્રશ્ન એ થાય કે દેશભક્તિ એટલે માત્ર સરહદ પર જવું,? બલિદાન
આપવું ?, પોતાના પ્રાણોની આહુતિ આપી દેવી?
ના....
તો
તો દેશભક્ત થવું કપરું કામ છે, બધાના બસ ની વાત જ
નથી.
વાસ્તવમાં
આ દેશનો સામાન્ય વ્યક્તિ પણ દેશભક્ત હોય છે,દેશ ભક્તિનું બીજ દેશમાં વસતા
જનજનના હૃદયમાં વવાયેલું છે જ. એને જરૂર
હોય છે-ખાતર પાણીની અને યોગ્ય આબોહવા અને વાતાવરણની. આ બીજમાંથી મોટું વટવૃક્ષ
બનવાની ક્ષમતા રહેલી છે. આ બીજને સક્રિય કરવા પડશે. કેવળ વાતો થી નહિ ચાલે. એને
આચરણમાં લાવવી પડશે. પેઢી દર પેઢી એનું
હસ્તાંતરણ થવું જોઈશે., એ માત્ર સૈદ્ધાંતિક ચર્ચાઓથી નહિ પણ, આપણી કૃતિથી જ થઇ
શકશે. ભારતના નાગરિકોને મા
ભારતી પ્રત્યે અનંત આદર છે, કારણ
કે આ પ્રજાએ ગુલામી જોઈ છે. ભારતમાતાના પગમાં બેડીઓ પડેલી જોઈ છે. આઝાદીની કિંમત આ
પ્રજાએ ચૂકવી છે, પણ ઘણું ભુલાઈ ગયું છે. ઘણું આભાસી થઈ ગયું છે.
દેશપ્રેમ છે,
પણ તે દર્શાવવાના રસ્તા
નથી જાણતા....
દેશભક્તિના વિવિધ
પ્રયોગો:-
Ø
આપણા વાણી , વિચાર અને વ્યવહારમાં રાષ્ટ્રનો પ્રથમ વિચાર કરીએ છીએ તો એ દેશભક્તિ
જ છે. સમાજમાં આવતા અનેક પડકારો તમને હચમચાવી દે છે અને કઈક કરવા માટેની તીવ્ર
લાગણી થાય છે તે દેશભક્તિ જ છે. ક્યાંક
ખોટું થઇ રહ્યું છે તેની સંવેદના ઉભી થાય છે એ દેશભક્તિ જ છે.
Ø તેના માટે સરહદ પર લડવા જવું
અનિવાર્ય નથી.
તેના માટે કોઈ સલામતી
દળમાં જોડાવું અનિવાર્ય નથી.
તેના માટે કોઈ પદ પર
હોવું જરૂરી નથી.
તેના માટે કોઈ વિશેષ
સુવિધાની જરૂર નથી.
તેના માટે કોઈ સાધન, શસ્ત્ર, સરંજામથી સજ્જ થવાની જરૂર નથી.
તેના માટે કોઈ
શિક્ષણ-પ્રશિક્ષણની આવશ્યકતા નથી.
તેના માટે સ્નાયુબદ્ધ
શક્તિશાળી હોવું જરૂરી નથી.
તેના માટે કોઈ ચોક્કસ
કોમ, જ્ઞાતિ, નાતના હોવા અનિવાર્ય નથી.
તે કોઈનો ઇજારો નથી અને
કોઈ ચોક્કસ વર્ગની જ ફરજ નથી.
તેના માટે કોઈ ગણવેશ
વર્દી જરૂરી નથી.
તેના માટે સરકારની
મંજૂરીની આવશ્યકતા નથી.
દેશભક્તિ
રાષ્ટ્રપ્રેમ
દિલમાંથી પ્રગટે છે.
બારેમાસ વહે છે.
ખુમારી આપે છે.
સંતુષ્ટી આપે છે.
તેજ આપે છે.
તાકાત આપે છે.
એ સંસ્કારમાં સિંચાય છે
રાષ્ટ્રગીત સાંભળતી
વખતે તમને ઊભા થઈ જવાની અદમ્ય ઇચ્છા થઈ આવે છે? તમે સાવધાન થઈ જાઓ છો? તમારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે? રક્તપ્રવાહ ઝડપી થઈ જાય છે? એ તમારી માતૃભૂમિ, તમારા નેશન પ્રત્યેની તમારી લાગણી
દર્શાવે છે.
Ø તમે રસ્તા પર કચરો ન ફેંકો એ
દેશભક્તિ છે.
તમે જાહેરમાં થૂંકો
નહીં એ દેશભક્તિ છે.
તમે ટ્રાફિક સેન્સ
દર્શાવો એ દેશભક્તિ છે.
તમે કરવેરા ભરો એ
દેશભક્તિ છે.
તમે સરકારી સંપત્તિનું
રક્ષણ કરો એ દેશભક્તિ છે.
તમે બસ-ટ્રેનની સીટ ન
ચીરો એ દેશભક્તિ છે.
તમે શહેરની દીવાલો ગંદી
ન કરો એ દેશભક્તિ છે
તમે બીજા નાગરિકને
મદદરૂપ થાઓ એ દેશભક્તિ છે.
તમે લાઇનમાં ઊભા રહો એ
દેશભક્તિ છે.
તમે સામાજિક સેવા કરો એ
દેશભક્તિ છે.
યાદી અનંત છે. દરેક
કામમાં તમે દેશદાઝ દેખાડી શકો. અન્નનો બગાડ નહીં કરીને, પાણી બચાવીને, નેચરલ રિસોર્સનો મર્યાદિત ઉપયોગ
કરીને. કંઈ કેટલીય રીતે રાષ્ટ્રભક્તિ બનાવી શકાય.
તમને રાષ્ટ્રએ જે આપ્યું છે તેનો
બદલો વાળવા માટેનું કોઈ કામ તમે કરો છો ખરા? ભારતમાતાના
ખોળે પેદા થવું એ આપણું સૌભાગ્ય છે, પણ
એ જનની જન્મભૂમિ માટે કશું ન કરવું એ આપણું અભાગ્ય છે. વિચારશો તો અમલ પણ કરશો, કરાવશો. ‘દેશ તો આઝાદ થતાં થઈ ગયો, તેં શું કર્યું’ ની જેમ કોઈ પૂછે કે માતૃભૂમિ માટે
કંઈ કરો છો ખરા? તો જવાબ આપવા પૂરતું તો કંઈક
હોવું જોઈએ ને.....