Wednesday, 25 September 2019

દિન વિશેષ - પંડિત દિનદયાલ ઉપાધ્યાય


જાહેર જીવનમાં  નેતાઓના વાણી અને વ્યવહાર લોકો પર વિશેષ અસર કરે છે.  કેટલાક જુજ વ્યક્તિઓ હોય છે જે   તમામ નેતાઓ, તમામ પક્ષોને પોતાના જીવન અને વ્યવહાર થકી અનોખી પ્રેરણા આપે છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવા નેતાઓમાં  અગ્રહરોળમાં મૂકી શકાય એવા નેતા હતા. તેઓ ભારતીય રાજનૈતિક જીવનનાં એક દેદીપ્યમાન નક્ષત્ર સમાન  હતા
.
૨૫ સપ્ટેમ્બર,૧૯૧૬ નાં દિવસે જન્મેલા દીનદયાલજી બાલ્યકાળથી જ તેજસ્વી છાત્ર તરીકે આગવી છાપ ધરાવતા હતા.  પોતાની વ્યક્તિગત કારકિર્દી બનાવવાને બદલે રાષ્ટ્ર  માટે જીવન સમર્પિત કરવાના સંકલ્પ સાથે ૧૯૪૨ થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક બન્યા. ૧૯૫૧ માં ભારતીય જનસંઘની સ્થાપના થઇ ત્યારથી જ રાજકીય ક્ષેત્રના શીર્ષસ્થ આગેવાન બની રહ્યા. ભારતીય ચિંતન, ભારતીય દર્શન, ભારતીય રાષ્ટ્રવાદ અને એકાત્મ માનવદર્શનનાં ભાષ્યકાર  એવા દિનદયાલજી એક વિચારક માત્ર નહિ પરંતુ અનેક કાર્યકર્તાઓનાં માર્ગદર્શક પણ રહ્યા.

આજે દિનદયાલજી  હયાત નથી પરંતુ તેમના જીવનને આદર્શ બનાવી સમાજ જીવનને  પલટાવી શકાય છે. ઋષિતુલ્ય, આર્ષદ્રષ્ટા દિનદયાલજીનું જીવન સદૈવ પ્રેરક બની રહે તેમ છે.