
.
૨૫ સપ્ટેમ્બર,૧૯૧૬ નાં દિવસે જન્મેલા દીનદયાલજી બાલ્યકાળથી
જ તેજસ્વી છાત્ર તરીકે આગવી છાપ ધરાવતા હતા. પોતાની વ્યક્તિગત કારકિર્દી બનાવવાને બદલે રાષ્ટ્ર
માટે જીવન સમર્પિત કરવાના સંકલ્પ સાથે
૧૯૪૨ થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક બન્યા. ૧૯૫૧ માં ભારતીય જનસંઘની
સ્થાપના થઇ ત્યારથી જ રાજકીય ક્ષેત્રના શીર્ષસ્થ આગેવાન બની રહ્યા. ભારતીય ચિંતન,
ભારતીય દર્શન, ભારતીય રાષ્ટ્રવાદ અને એકાત્મ માનવદર્શનનાં ભાષ્યકાર એવા દિનદયાલજી એક વિચારક માત્ર નહિ પરંતુ અનેક
કાર્યકર્તાઓનાં માર્ગદર્શક પણ રહ્યા.
આજે દિનદયાલજી હયાત
નથી પરંતુ તેમના જીવનને આદર્શ બનાવી સમાજ જીવનને પલટાવી શકાય છે. ઋષિતુલ્ય, આર્ષદ્રષ્ટા દિનદયાલજીનું
જીવન સદૈવ પ્રેરક બની રહે તેમ છે.