Wednesday, 3 July 2019

નિર્વાણ દિને સ્વામીજી નું ચિંતન......

આજે ૪ જુલાઈ, આજના દિવસે ૧૯૦૨ માં સ્વામી વિવેકાનંદે મહાસમાધિ લીધી હતી.

સ્વામી વિવેકાનંદ ની વાણી આપણને ઝંકૃત કરે છે, ઉત્સાહ વધારે છે , એટલું જ નહિ , ભાવુક પણ કરે છે....સ્વામીજીએ ભારતવાસીઓને કહ્યું હતું,  ,''જ્યાં સુધી જીવો ત્યાં સુધી કાર્યરત રહો, હું તમારી સાથે છું.જ્યારે હું નહિ હોઉં ત્યારે પણ મારી આત્મા તમારી સાથે રહીને કામ કરતી રહેશે...ધન, યશ, કીર્તિ, સુખભોગ તો ક્ષણિક માત્ર છે.. સંસાર ના જીવજંતુ ની જેમ મારવા કરતાં પોતાના કર્તવ્યનું પાલન કરતાં કરતાં સત્યનો પ્રચાર કરતાં કરતા મૃત્યુને ભેટવું  અધિક શ્રેષ્ઠ છે., અનેક ગણું શ્રેષ્ઠ  છે. આગળ વધો.."

સ્વામી વિવેકાનંદે ૩૯ વર્ષની આયુમાં એટલું બધું ચિંતન આપણને આપ્યું છે કે આગામી અનેક વર્ષો સુધી કોઈ વ્યક્તિ ન આપી શકે. તેમણે ભારતને બૌદ્ધિક અને આધ્યાત્મિક  ક્ષેત્રે વિશ્વમાં સર્વોચ્ચ શિખરે પ્રસ્થાપિત કરી દીધું હતું. આજના દિવસે તેમની પુણ્યતિથિએ તેમને શત શત વંદન.....

No comments:

Post a Comment